
ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના આઠમાં અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણને ઠાકોરજી પણ કહેવામાં આવે છે, માન્યતા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થાય છે ત્યાં બીજી કોઈ પણ જાતની તકલીફ કે પરેશાની આજુ બાજુમાં નથી આવતી. અને તેથી જ ઘણા લોકો નીયમિત રૂપથી ઠાકોરજીની સેવા અને પૂજા પાઠ કરે છે. પરંતુ આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં આ દરેક લોકો માટે સંભવ નથી હોતું. તેથી શરુ કરો આ મંત્રો બોલવાનું..
શ્રી કૃષ્ણના કેટલાક ચમત્કારી મંત્ર વિશે જેણે બોલવાથી ખરાબ સમય જતો રહે છે અને સારા અને શુભ દિવસની આપના જીવનમાં આગમન થઇ જાય છે. તેથી આજે અમે જાણવા જઈ રહ્યા છીએ
– कृं कृष्णाय नमः આ શ્રી કૃષ્ણ દ્વારા જાણવામાં આવેલ મૂળમંત્ર છે તેને દરરોજ બોલવાથી અત્કાયેલું ધન મળવા લાગે છે. અને ઘર પરિવારમાં સુખની વર્ષા થાય છે.
– ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा આ કોઈ સાધારણ મંત્ર નથી, પરંતુ શ્રી કૃષ્ણનો સપ્તદશાક્ષર મહામંત્ર છે. આ મંત્રના જાપ થી જીવનની દરેક પરેશાનીઓ દુર થવા લાગે છે.
– गोवल्लभाय स्वाहा જોવામાં આ મંત્ર ફક્ત બે શબ હોય એવું લાગે છે, પરંતુ આ નાનકડા એવા મંત્રનો પ્રભાવ અને તેની અસર ખુબજ ઝડપથી જોવા મળે છે.
– गोकुल नाथाय नमः આ આઠ અક્ષર વાળા શ્રી કૃષ્ણ મંત્રનો જે કોઈ પણ સાધક જાપ કરે તેમની બધી જ ઈચ્છાઓ અને અભિલાષાઓ પૂર્ણ થઇ જાય છે.
– क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नम: આ મંત્રને દરરોજ બોલવાથી ધનની આવક ખુબજ વધી જાય છે.
ઉપર જણાવેલ ભગવાન શ્રી કૃષ્ણના ખુબજ અસરકારી અને સરળ મંત્રોનો દરરોજ નિયમિત અને મનથી જાપ કરવામાં આવે તો તેનાથી ચોક્કસ લાભ પ્રાપ્ત કરી શકાય છે.