
ધન-દોલત અને સુખ સમૃદ્ધિ મેળવવા માટે ની તમન્ના દરેક લોકો રાખતા હોય છે અને અમીર બનવા માટે લોકો ખુબ જ મહેનત પણ કરે છે. મહેનત કરવાની સાથે જો કોઈ ઉપાય કરવામાં આવે તો તમે જલદી અમીર બની શકો છો. જે લોકો અમીર બનવાના સપના જોઈ રહ્યા છે. જો તે પૂર્ણિમા ના દિવસે નીચે બતાવવામાં આવેલા ઉપાયો કરે તો જલદી જ એના પર લક્ષ્મીજી માં ની કૃપા બની જાય છે.
એટલા માટે તમારે તમારી રાશિના હિસાબે પૂર્ણિમા ના દિવસે આ ઉપાય ને જરૂર કરવા. આ ઉપાય કરવાથી જીવન માં ધન ની અછત ક્યારેય નહિ થાય.
પૂર્ણિમા ના દિવસે aetle રાશિ અનુસાર કરવા આ ઉપાય
મેષ રાશિ
ધન મેળવવા માટે આ રાશિના લોકો રોજ તુલસી માં ની પૂજા કરે છે અને તુલસી ના છોડ ની સામે ઘી નો દીવો કરે છે. તુલસીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસા ની અછત નહિ આવે. એ સિવાય આ રાશિના લોકો તુલસી ના પાન રોજ વિષ્ણુ ભગવાન ને પણ અર્પિત કરવા.
વૃષભ રાશિ
આ રાશિના લોકોએ પૂર્ણિમા ના દિવસે પીપળા ના ઝાડ ની પૂજા કરવી અને આ ઝાડ ના એક પાન ને તિજોરી માં રાખવા. આ ઉપાય કરવાથી ધન લાભ થશે. એ સિવાય પૂર્ણિમા ના દિવસે જો આ રાશીના લોકો સાથે સબંધ રાખતા લોકો પહેલા એમના શરીર પર સરસવ નું તેલ લગાવે તો ઘણી બીમારીમાંથી છુટકારો મળે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોએ પૂર્ણિમાના દિવસે ગાય ને રોટલી અને ઘાસ ખવડાવવું. એવું કરવાથી એને ધન લાભ થશે. નોકરીમાં તરક્કી મેળવવા માટે આ રાશિના લોકોએ જેટલું બની શકે એટલું દાન કરવું.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો જો પૂર્ણિમા ના દિવસે આ ઉપાય કરે છે તો એના જીવનમાં લક્ષ્મી માં ની કૃપા બની રહેશે. આ દિવસે કર્ક રાશિના લોકો એ પીપળાના ઝાડ પર જળ અને દૂધ એક સાથે ચડાવી દેવો અને એ પછી આ ઝાડ ની પરિક્રમા કરવી.
સિંહ રાશિ
વેપારમાં વૃદ્ધિ મેળવવા માટે હળદર સાથે જોડાયેલો આ ઉપાય કરવો. આ ઉપાય માટે પૂર્ણિમા ના દિવસે હળદર ની એક ગાંઠ ને લાલ રંગ ના કપડા ની અંદર બાંધી દેવી. પછી મંદિર માં રાખી દેવું અને થોડી વાર પછી મંદિર માંથી લઈને વેપારના સ્થળ પર રાખી દેવી.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોએ ધન લાભ માટે પૂર્ણિમા ના દિવસે કોડિયા લાલ રંગના કપડામાં બાંધી દેવા. પછી આ કપડા ને માં લક્ષ્મી ની સામે રાખી દેવા અને લક્ષ્મી પાઠ કરવો. પછી આ કોડિયાને તિજોરીમાં રાખી દેવા. આ ઉપાય કરવાથી કોઈ પ્રકારનું ધન નુકશાન પણ નહિ થાય.
તુલા રાશિ
આ રાશિના લોકો એ ધન લાભ હેતુ લક્ષ્મી માં ને પૂર્ણિમા ના દિવસે સફેદ અથવા ગુલાબી રંગ નું કમળ નું ફૂલ અર્પિત કરવા. આ ફૂલને અર્પિત કરીને પછી એને તમારી તિજોરીમાં રાખી દેવા. પછી બીજે દિવસે આ ફૂલને બદલીને નવું ફૂલ તિજોરીમાં મુકવું, આવી રીતે પૂર્ણિમા સુધી કરવાથી લક્ષ્મીજી માં પ્રસન્ન થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોએ આ દિવસે શિવજી ની પૂજા કરવી અને પૂજા કરતી વખતે ચોખા અર્પિત કરવા. આ વાતનું ધ્યાન રાખવું કે તે ચોખા એકદમ સાફ હોય અને તૂટેલા ના હોય. પૂર્ણિમાના દિવસે શિવજી ની કૃપા બની રહેશે.
ધનુ રાશિ
આ રાશિના લોકોએ ધન લાભ માટે પૂર્ણિમા ના દિવસે ચાંદ ને અર્ધ્ય આપવું અને ચાંદ ને ખીર અર્પિત કરવી. આ ખીર બીજા દિવસે કોઈ ગાય ને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી મન શાંત રહે છે અને કર્જ માંથી મુક્તિ મળી જાય છે.
મકર રાશિ
પૂર્ણિમા ના દિવસે ભગવાન શિવજી નો અભિષેક કરવો. અભિષેક કરવા સિવાય સાંજના સમયે લક્ષ્મી સ્ત્રોત નો પાઠ કરવો અને માં ને સફેદ કમળ ના ફૂલની માળા પહેરાવવી.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોએ આ દિવસે વિષ્ણુ અને લક્ષ્મી માં ની પૂજા કરવી અને પૂજા કરીને પછી પીપળા ના ઝાડ પર જળ ચડાવવું. પીપળા ના ઝર પર વિષ્ણુ અને લક્ષ્મી માં નો વાસ માનવામાં આવે છે. એટલા માટે આ ઝાડ પર જળ ચડાવવું લાભદાયક હોય છે અને એવું કરવાથી લક્ષ્મી માં પ્રસન્ન થઇ જાય છે.
મીન રાશિ
આ રાશિના લોકોએ પૂર્ણિમા ના દિવસે સવારે સ્નાન કરીને એમના ઘરના મુખ્યદ્વાર પર આંબા ના પાન નું તોરણ બાંધવું. પછી હળદર અથવા કુમ કુમ ની મદદથી દરવાજા પર લક્ષ્મી માં ના પગ ના નિશાન બનાવી લેવા એવું કરવાથી ધન લાભ થશે.